ઠરાવ અંગે ફેરવિચારણા કરવા નહીં આવે તો રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા અન્ય રાજકીય પક્ષો તેમજ સામાજિક સંગઠનો દ્વારા વિરોધના સૂર સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ ફાળવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.રદ થયેલા ઠરાવ અંગે ફરી વિચારણા કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જન આંદોલન કરશે.જરૂર પડ્યે રસ્તાઓ પર પણ ઉતરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા કિશાન સંગઠન પ્રમુખ પ્રફુલભાઈ હોથી,મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતિયા,મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપ સિંહ ઝાલા તથા અન્ય કાર્યકરોની હાજરીમાં મોરબી જિલ્લા કલેકટરને મોરબીને થયેલા અન્યાય કે જે મોરબીને મળેલ સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ રદ કરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ આપવાનો ઠરાવ મંજુર કરેલ છે.તેના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...