મોરબીમાં વેલનાથ જયંતિ નિમિત્તે કોળી ઠાકોર સમાજની બેઠક યોજાઇ
મોરબી જિલ્લા ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર સમિતીની બેઠક યોજવામાં આવી હતી
જેમાં વેલનાથ બાપુની શોભાયાત્રામાં મોટી સંખ્યા ઠાકોર સેનાના કાર્યકર્તા જોડાશે અને વેલનાથ જયંતિ નિમિત્તે બેનરની ચર્ચા કરવામાં આવી હતી સાથો સાથ સંગઠન બાબતે મોરબી શહેર સમિતિના હોદેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી વેલનાથ બાપુની શોભાયાત્રામાં જોડાવવા માટે ઠાકોર સમાજને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
જેમાં મોરબી જિલ્લા કાર્યકર્તા યોગેશજી ઠાકોર, મોરબી શહેર પ્રમુખ જીતુભાઈ પરમાર, ઉપપ્રમુખ મનીષભાઈ સાલાણી, ઉપપ્રમુખ વિપુલ કુવરિયા, મહા મંત્રી રણજીત ચાવડા, સંગઠન મંત્રી કિશન કારું સંગઠન મંત્રી અપુલ કાથીયા, ખજાનચી ભૂપત વરાણીયા, મંત્રી મહેશ જંજવાડિયા, વિનોદભાઈ સનુરા, એસ કે વરાણીયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં બેઠકમાં હાજર રહ્યા હતા