મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે. પ્રત્યેક શરીરમાં ધબકતું રકત તો એક સહિયારી મૂડી છે. આ મૂડી નો સદ્ઉપયોગ એટલે સ્વૈચ્છિક રકતદાન.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનીક સ્કુલ, ઉમા ટાઉનશિપ ખાતે તા.૦૧-૦૧- ૨૦૨૩ ને રવીવાર ના રોજ સવારે ૦૯-૦૦ થી ૦૧-૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પનું આયોજન ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી અને વરમોરા ગ્રુપ મોરબીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌજન્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સીવીલ હોસ્પિટલ મોરબી.
રક્તદાન કેમ્પ અંગે વિશેષ માહિતીની જરૂર હોય તો રતીભાઈ ભાલોડિયા મો: ૯૯૭૮૯, ૨૦૧૮૭ તથા મનુભાઈ જાકાસણીયા મોં: ૯૭૩૭૨ ૧૩૦૦૦ પર સંપર્ક સાધવો.
"ગરીબોની આર્થિક ઉન્નતિ માટે સરકાર દ્વારા ક્રાંતિકારી પગલાંઓ લેવાયા છે"- જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી
"છેવાડાના તમામ લોકોને માટે મુખ્ય ધારા સાથે સાંકળવા તથા તેમના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ"- રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા...
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સિરામિક કારખાનામાં ફિલ્ટર પ્રેસ વિભાગ પર ચડી કામ કરતી વખતે નીચે પટકાતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના લાલપ ગામની સીમમાં લોરેન્જો સિરામિકના કારખાનામાં રહેતા અને મજુરી કરતા રેખાબેન રાજેશભાઈ ખારોલ ઉ.વ.૨૯વાળા લોરેન્જો સિરામિકના કારખાનાના ફિલ્ટર...
મોરબી: મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઇસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સ્ટેટ મોનિટરીંગ...