મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ શનાળા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પલેક્ષ દુકાન નં. ૪માં શુભારંભ કરવામાં આવ્યો છે.
હવે મોરબીના જીવદયાપ્રેમીઓને પોતાના પશુ-પક્ષીઓને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. કર્તવ્ય પેટ ક્લિનિકમાં કોઈપણ બિમાર પ્રાણીઓની સારવાર નહિ નફા નુકશાનના ધોરણે સારવાર પુરી પાડવામાં આવશે. ક્લિનિક થકી પશુઓમાં ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ ૫૦%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ વેક્સીનેસન તથા દવાઓમાં ૧૫ થી ૨૦% સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે.
કર્તવ્ય પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિક વગરના પશુ-પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. પશુ-પક્ષીઓની રાહતદરે સારવાર માટે લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ અનુરોધ કર્યો છે. તેમજ વધુ માહિતી માટે 7574885747 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.
માળિયા સહિત જિલ્લામાં સર્જાતી પરિસ્થિતિના નિરાકરણ માટેનું આયોજન કલેક્ટર કે.બી ઝવેરી દ્વારા સરકાર સમક્ષ રજૂ કરાશે
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે શક્ય તેટલું ઓછું નુકસાન થાય અને જિલ્લામાં તરાજી ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સતત ચિંતિત રહ્યા છે. ત્યારે ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે...
ફિલ્ડનો સ્ટાફ લોકો સાથે ટેલીફોનીક સંપર્ક ન જાળવે તો ગેરશિસ્તના પગલાં લેવાશે: પીજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયરને કલેક્ટરની સુચના
ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે. બી ઝવેરીનીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મોરબીમાં સર્જાયેલ અતિવૃષ્ટિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા...
મોરબી: મોરબીના ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટી સામેથી સિ.એન.જી. રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઘુંટુ...