શિક્ષણ વિભાગ અને જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ સાબરકાંઠા જીલ્લાના ડાયટ ભવન ઇડર ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી જીલ્લા કક્ષાએ પસંદ થયેલ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા
શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્યકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ગત તા.13 થી 15 માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લાના ડાયટ ભવન ઈડર ખાતે યોજાયો હતો.રાજ્યકક્ષાનાં આ ફેસ્ટીવલમાં મોરબી જિલ્લામાંથી પસંદ થયેલ પાંચ શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજુ કર્યા હતા.જેમાં પ્રાથમિક વિભાગમાં માળીયા તાલુકાના શિક્ષક બેચરભાઈ ગોધાણી,ટંકારા તાલુકાના કલ્પેશભાઈ પટેલ અને વિધીબેન પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં ટંકારાના પ્રવિણભાઈ વાટકિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અમીતભાઈ તન્નાએ પોતાની શાળાઓમાં કરેલ બેસ્ટ પ્રેક્ટિસ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને જી.સી.ઈ.આર.ટી.નિયામક પ્રફુલભાઈ જલુ,તાજેતરમાં નિવૃત થયેલ ટી.એસ.જોશી તેમજ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ શિક્ષકોના સ્ટોલની મુલાકત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...