સરકારી યોજનાઓ દ્વારા રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબ પરિવારને સસ્તું રાશન વિતરણ કરવામાં આવે છે.
અને સસ્તા અનાજની ફાળવણી માં ઠાગાઠૈયા ની વારે ઘડીએ ફરીયાદો સાભળવા મળતી હોય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાસ મોરબી શહેર વિસ્તારમાં સસ્તા અનાજ દુકાનના સંચાલકો દ્વારા કાર્ડ ધારકોને સમયસર રાશન આપતા ન હોવાની,દુકાન બહાર કાર્ડ ધારકોને મળવા પાત્ર રાશનની વિગત ન લખવામાં આવતી હોવાનું ,ગ્રાહકોને મળવાપાત્ર રાશનના જથ્થાનું પાકુ બીલ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે ઘણા દુકાનદાર મળવા પાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી રહ્યા છે તો કેટલાક દુકાનદાર બીલ કરતા કાર્ડ દીઠ 5 રૂપિયા વધારે લઇ રહ્યા છે.
રાજ્યભરમાં વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત કોઈ પણ દુકાનેથી રાશન કાર્ડ થી પોતાનું રાશન ખરીદિ શકે તેવી સરકારની જાહેરાત બાદ પણ દુકાનદાર તેની અમલવારી કરતા નથી સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક માત્ર સોમવારે જ રજા રાખી શકે છે તેવી જોગવાઈ હોવાં છતા દુકાનદાર પોતાની મરજી મુજબ દુકાન ચાલુ બંધ રાખી રહ્યા છે.તેમજ દુકાનદાર જાણે પોતાના ઘરનું રાશન આ પરિવારને આપતા હોય તેવો રોફ જમાવી અપમાનિત કરી રહ્યા છે. આં બાબતે મોરબીના સામાજિક કાર્યકર રજુ દવે જીગ્નેશ પંડયા,જગદીશ બામભાણીયા મુસાભાઈ તેમજ અશોક ખરચરિયા સહિતનાએ જીલ્લા કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખી સમયાતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવા માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત તેમજ જેટલી પણ દુકાન ચાર્જમાં ચાલે છે તે દુકાન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી જ ચાર્જમાં ચાલતી દુકાન નિયમિત ખુલે અને તેનો લાભ લોકોને મળે તેવી માગણી કરવામાં આવી છે.
મોરબી: જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડી કરેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી નવલખી ફાટક પાસેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલસ સ્ટાફને...
મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 24/09/24 થી 4 દિવસ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
શીવ સેવક ગ્રુપ 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને...
ગેસના બાટલાનું છૂટક તથા હોલસેલમાં અતિરિક્ત જોખમી વેચાણ ચાલુ હોય ત્યારે સત્વરે પગલાં લેવા લેખિત રજુઆત
મોરબીમાં થોડા દિવસો પહેલા નહેરુ ગેટ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર તેમજ મંજૂરી કરતા વધારે ગેસ સિલિન્ડર રાખી તેનું વેચાણ કરનારા વેપારીઓની દુકાનોમાં મોરબી ફાયર વિભાગ તથા જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી...