Wednesday, September 25, 2024

મોરબી ખાતે સીઆર પાટીલની અચાનક મુલાકાતથી અનેક તર્કવિતર્ક સર્જાયા!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જુથ બંધીના લબકારા વચ્ચે પક્ષના નારાજ ચાલતા લોકોને મનામણાં માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી મોરબીની મુલાકાતે

મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી આડા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક તો ઝુલતા પુલ જેવી દુર્ઘટના ઘટીજેથી ભાજપને ચુંટણીમાં ફટકો પડે તેમ સાથે સાથે મોરબીમાં જુથબંધી પણ જોવા મળી રહી છે જેમાં પક્ષના ઘણા લોકો નારાજ છે તેથી તેમને મનામણાં માટે આજે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની ઓચિંતી મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે


મોરબી-માળીયા બેઠક ઉપર ભાજપ દ્વારા કાંતિભાઇ અમૃતિયાને ટીકીટ આપતા એક જૂથ અંદરખાનેનારાજ ચાલતો હોઈ તેના લીધે ઘણા ભાજપના આગેવાનો પણ નારાજ થયા હોઈ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ આજે ઓચિંતા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ મોરબીની મુલાકાતે પોહચી ગયા છે લોકોના મુખે એવી ચર્ચા થઈ રહી છે મોરબીમાં ભાજપમાં જે જુથબંધીના લબકારા થઈ રહ્યા છે અને ભાજપમાં જે લોકો નારાજ છે તેમને મનાવવા માટે આવી પહોંચ્યા હોવાની લોક મુખે ચર્ચા થય રહી. સી.આર. પાટીલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી ઓફીસીયલ જાહેરાત કરવામાં આવી ન હતી ક્યાંક કાંતિભાઇ અમૃતિયાના વાણી વિલાસના લીધે પણ સી.આર. પાટીલ આવ્યા હોવાનું લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની જાણકારી મહીતી આપ્ય વગર જ મોરબીની મુલાકાતે આવેલ છે ત્યારે આ મુલાકાત કેટલી કારગાર નિવળે છે તે જોવું રહ્યું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર