માળીયા: માળીયાના લક્ષ્મીવાસ ગામે ગુજરાત સરકાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને મોરબી માળિયા ૬૫ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો.
આજે તા.૧૫-૦૧-૨૦૨૩ ને રવીવારના રોજ સવારે ૯:૦૦ કલાકે માળિયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજી બાવળિયા અને કાંતિભાઇ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા,તાલુકા તેમજ શહેરના હોદ્દેદરો અને સામાજિક,રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં દરેક સરપંચ તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી
ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહીતના મહાજનો ના અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વિરપુર જવા રવાના.
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તમામ રઘુવંશીઓ માટે નિઃશુલ્ક બસ ની વ્યવસ્થા કરતું મોરબી લોહાણા મહાજન
સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનો ની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ ના નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે...
શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ નાટક થકી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા તથા લોકોને માર્ગદર્શન આપવા કરવામાં આવી રહેલા આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર શહેરમાં આવેલ શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ સંદેશ સાથે નાટક...