Tuesday, September 24, 2024

બી.એ.પી.એસ. બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનની પુર્ણાહુતીએ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે વિશાલ રેલી યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. આજ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા. તેમની પ્રેરણાથી BAPSસંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે BAPSસ્વામિનારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું.

પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી BAPS સંસ્થાના ૧૬૦૦૦ બાળકોના ૪૨૦૦વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસ સ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ ૧૪લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તારીખ ૮મેથી ૨૨મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના ચાર લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત જે વ્યક્તિઓ વ્યસનનું સેવન કરતા નહોતા તેઓએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો.

વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર BAPS સંસ્થાની ૧૪૦૦૦ બાલિકાઓના ૩૩૦૦ વૃંદદ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયેલ. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાલિકાઓએ ઘરો ઘર જઈને ૧૨ લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા.૧.પાણી બચાવો,૨.વીજળી બચાવો,૩.વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાંઓ ભરી શકે તે માટે બાલિકાઓએ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત ૧૫દિવસ ચાલેલા અભિયાનના પરિણામે દસ લાખ લોકો પાણી વીજળીના બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા. સાથો સાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો.

આ રીતે બાલ બાલિકાઓએ કુલ ૨૬ લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અને વ્યસનમુક્તિ અભિયાન દ્વારા સમાજ ઉત્કર્ષણો ભગીરથ કાર્ય કર્યંં હતું. આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા. સેલ્ફ કોન્ફિડન્સ, કોમ્યુનિકેશન, લીડરશીપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્તશક્તિઓ આ બાળ-બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી. દેશહિત માટે કંઈક કરી છૂટવાના, સમાજની નિસ્વાર્થ સેવાના, ગુરુને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ બાલિકાઓના અંતરમાં રોપ્યા હતા.

સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ અભિયાન મોરબી શહેરમાં યોજાયું હતું જેમાં કુલ 75 બાળકોએ અને 150 બાલિકાઓએ કુલ 9000 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં યોજાયેલ આ અભિયાન બાદ તારીખ ૩૧ મે ૨૦૨૨ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં ૧૦૦ જેટલી વિરાટ વ્યસનમુક્ત રેલીનું આયોજન થયું હતું.

મોરબીમાં પણ યોજાયેલ આ રેલીમાં 300 થી વધુ બાળકો અને 200 થી વધુ બાલિકાઓ જોડાઈ હતી તેમના દ્વારા પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટસ, બાળકો અને બાલિકાઓ દ્વારા થતા સુત્રોચાર મોરબીવાસીઓને અનેરી પ્રેરણા આપી . આ રેલીનો શુભારંભ સાંજે ૫ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં આવેલ મેદાન ખાતે નિર્માણધીન BAPS શ્રી સ્વામિનારાયણ ના વિદ્વાન સંતો પૂજ્ય હરિસ્મરણ સ્વામી અને પૂજ્ય મંગલપ્રકાશ સ્વામીના નેતૃઋત્વ હેઠળ શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે થયેલો જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના RMO ડો. સરડવાએ વૈદિક પૂજનવિધિથી રેલીનો આરંભ કરાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આવેલ મેદાનથી શરુ થયેલ રેલી બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ થઇ મોરબી સિવિલ હોસ્પિટલ મેદાન પર વિરામ પામી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર