પતિ દ્વારા ચારિત્ર પર શંકા કરી માર માર્યાની પત્નીની ફરિયાદ બાદ પતિનો વિડીયો વાયરલ થતા ચકચાર
નજીકના સમયમાં અંગત ઘટનાઓ બહાર આવે તેવી શક્યતા
મોરબી: મોરબીમાં થોડા દિવસ પહેલા એક પરણીતાએ ચારિત્ર અંગે શંકા કરી પતિએ માર માર્યો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ટોક ઓફ ધી ટાઉન બનેલા આ કિસ્સામાં હવે પતિ તરફથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા આ કિસ્સામાં એક નવું ટવીસ્ટ આવ્યું છે અને નજીકના સમયમાં કેટલીક અંગત ઘટનાઓ પરથી પડદો ઉચકાશે અને અનેક રહસ્યો સામે આવે તેવી શંકાઓ સેવાઈ રહી છે.
નજીકના સમયમાં પતિ તરફથી પણ કેટલાક પુરાવો જાહેર કરી સત્ય ઉજાગર કરવાની વાત કથિત વીડિયોમાં સામે આવતા રાજકીય અગ્રણી સહિતના નામ ઉજાગાર થશે તેવી ચર્ચા એ શહેરમાં જોર પકડ્યું છે.
મોરબીના સરદારબાગ નજીકની સોસાયટીમાં રહેતી પરણીતા શ્રદ્ધા રાજપરાએ ગત બુધવારે પોતાના પતિ નિરવ રાજપરા વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી હતી પતિ નીરવ રાજપરા એ હોકીથી માર મારી ત્રણ વ્યક્તિ જોડે આડા સંબંધ હોવાની શંકા રાખ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હતો ફરિયાદમાં જેના પર શંકા રખા હતી તેમાં ભાજપ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત તરિકેની છાપ ધરાવતા “અજય લોરીયા” નો ઉલ્લેખ થતા મામલો હાઈ પ્રોફાઇલ બની ગયો છે જ્યારે અન્ય બે વ્યક્તિઓમાં મેહુલ સ્ટુડિયોના માલિક મેહુલભાઈ અને જિમનાં ટ્રેનર હર્ષદભાઈનો પણ ઉલ્લેખ કરાયો છે ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે દરમિયાન આરોપી પતિ નીરજ રાજપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનામાં ટ્વિસ્ટ અને ટર્ન આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે તેમ જ આવનારા સમયમાં અનેક કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં નીરજ રાજપરાએ પોતાનો પક્ષ રજુ કરી ભાજપ અગ્રણી”અજય લોરીયા” સિવાયના બીજા બંને વ્યક્તિઓ મેહુલભાઈ અને હર્ષદભાઈ નિર્દોષ હોવાનું જણાવ્યું છે તેમજ પોતાની પાસે પણ ઘટના અનુસંધાને સબળ આધાર પુરાવા હોવાનું અને નજીકના સમયમાં જ સંબંધિત ઘટના અંગે સત્ય બહાર લઈ આવવાની વાત કહેતા પતિ પત્ની અને વો ના કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે.