મોરબી: નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ હંમેશા શિક્ષણની સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એ માટે બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી જ રહે છે જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલના બાળકોમાં નાનપણથી જ એક સેવાભાવ ઉત્પન્ન થાય ઉપરાંત સમાજમાં જરૂરિયાતમંદ બાળકોને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકી એ ભાવના કેળવવા માટે દિવાળીની ઉજવણી જરૂરિયાત મંદ બાળકો સાથે મુલાકાત કરાવી અને તેમના હાથે જ નાના બાળકોને મીઠાઈ, કપડા તથા રમકડાની ભેટ આપીને એમની સાથે ઉજવણી કરી હતી.
આ ઉપરાંત બાળકોમાં નાનપણથી જ એક કૃતજ્ઞનતાની ભાવના પણ ઉત્પન્ન થાય તે માટે નાના ભૂલકાઓ દ્વારા કપડાં,નાસ્તો તેમજ બાળકોને ઉપયોગી ઘણીબધી વસ્તુઓ પોતાના ઘરેથી લઇ આવીને જરૂરિયાત મંદ બાળકોના ચહેરાઓ સ્મિતથી ઝળહળી ઉઠ્યા હતા.
નાના બાળકોના આ મોટા કામ થી વાલીઓમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ ડૉ. મંજુ મેડમએ ખુબ બિરદાવ્યા હતા.
મોરબી શહેરમાં મંજૂરી વગરના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે કોઈપણ જાતની મંજૂરી વગર મજા આવે ત્યાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના નાની કેનાલ રોડ પર આવેલ ઓમપર્ક સોસાયટીમાં વજેપર સર્વ નંબર -૧૨૫૪/૦૩મા આવેલ જગ્યા પર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ કરવામાં આવી રહ્યું...
ગાંધીનગર સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા 5 થી 7 માર્ચ 2025 દરમિયાન 'PhysioZenith 2025' નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી મોરબીના પ્રાધ્યાપકો અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સ દરમિયાન Dr. રાહુલ છતલાણી અને Dr. પ્રતિક દેસાઈએ સિનિયર કેટેગરીમાં તેમના...