Sunday, September 22, 2024

ટંકારામાં હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ટંકારા ગામે હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતુંહિન્દુ મુસ્લીના ખુશીના તહેવારો માંજશ્ને ઈદે મિલાદનું ડીજેના તાલે મુસ્લીમ બિરાદરો દ્વારા હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય બજારોને શણગારવામાં આવી હતી. હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક રૂપે રાજબાઈ ગરબી મંડળ તેમજ “જય વેલનાથ “ગ્રુપ દ્વારા ઠંડા પીણા તેમજ લીંબુ સરબતનું આયોજન કરવામાં આવ્યું હતું.

” વેલનાથ ગ્રુપ” તરફથી અરવિંદ ભુવા, મગન પરમાર, કોળી અગ્રણી કાનો, ભરત બાબરીયા, પરેશ, નવઘણ, સંજય અને સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ ગરમીના વાતાવરણમાં લીંબુ સરબત પીવડાવી કોમી એકતાની મિશાલ જગાવી હતી.પોલીસ તંત્રની કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એવી સરાહનીય કામગીરી રહી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર