ટંકારા ભાજપના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાના ટોળ ગામે શક્તિ માતાજી તથા બ્રહ્માજી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રના રાજકીય સામાજિક તેમજ સંતો મહંતો વગેરે હાજરી આપશે.
ટંકારા તાલુકાના ટોળ ગામે આગામી તા.૨૧ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ કલાકે થાંભલી રોપણ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે રાવળ દેવ દેવજીભાઈ પનારા, હરેશભાઈ પનારા ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. તેમજ તા.૨૨ને શુક્રવારના સવારે ૭:૩૦ કલાકે થાંભલી વધાવવાનું સહિતના માંગલિક કાર્યક્રમો યોજાશે. આ તકે ધર્મપ્રેમી જનતાને પધારવા મેપાભાઈ સવાભાઈ, દેવાભાઈ મેપાભાઈ, ઘેલાભાઈ મેપાભાઈ ફાંગલીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી: મોરબીના બેલા પીપળી રોડ પર પટેલ વિહાર હોટલ પાસે પોતાની દુકાનમાં કોઈ કારણસર અગ્નિસ્નાન કરી લેતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ લાલજીભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.૩૩ રહે. મારૂતિપાર્ક સોસાયટી બેલા પીપળી રોડ, પટેલ વિહાર હોટલ પાસે મોરબી તા.જી. મોરબીવાળાએ પોતાની દુકાનમાં બપોરના બારેક વાગ્યાની આસપાસમાં પોતાની જાતે શરીરે...