મનરેગા યોજના હેઠળ મોરબી જીલ્લાના ૨૫૦૦ થી વધુ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી
મોરબી : મોરબી જીલ્લામાં મનરેગા યોજના હેઠળ કુટુંબદીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવી રહી છે જેમાં ૧૨૩૩ કુટુંબોના ૨૫૦૦ થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા છે.
મનરેગા યોજનામાં નાના શ્રમિકોને રોજગારી આપવામાં આવી રહી છે. મોરબી જીલ્લામાં મનરેગા યોજના હેઠળ ૩૯ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ મનરેગા યોજનામાં કુટુંબદીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. આ રોજગારી જરૂરિયાતમંદ ૧૨૩૩ કુટુંબો માટે તકની સાથે આશિર્વાદરૂપ બની રહી છે જે થકી એ કુટુંબોના ૨૫૦૦ થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા છે. મનરેગા હેઠળ કામના પ્રમાણમાં પુરતી રોજગારી મળતી હોવાથી અનેક જરૂરિયાતમંદ કુટુંબો આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અને શ્રમિકોના ખાતામાં જ સીધું ચુકવણું કરવામાં આવતું હોવાથી પૂરતી પારદર્શકતા પણ જળવાય છે.
ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ તથા અમૃત સરોવર ૨૦૨૨-૨૩ હેઠળ મનરેગા યોજના દ્વારા તળાવ ઉંડા ઉતારવા, હયાત તળાવોનું મરામત સફાઈ કામ તથા નવા તળાવો બનાવવા જેવી જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, ભૂગર્ભ જળ ઊંચા આવે છે તથા ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. પાણીની સંગ્રહ શક્તિ વધવાથી રવિ પાકમાં ફાયદો થાય છે તથા કુવા અને બોરમાં પણ ભૂગર્ભ જળમાં વધારો થાય છે. આ ઉપરાંત મનરેગા જેવી યોજનાઓ સાથે જોડીને શ્રમિકોને રોજગારો પણ આપવામાં આવી રહી છે.
ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ...
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે.
ત્યારે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની...
મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ જેવા રૂપીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી...