મોરબી પંથકમાં ખનીન માફીયાઓ દ્વારા ખનીજ ચોરી ની અવારનવાર ફરીયાદો સાભળવા મળતી હોય છે પણ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતાં ખનન માફીયાઓ નેં મોકળું મેદાન મળી રહે છે ત્યારે આવી જ એક ખનીજ ચોરી ની ફરીયાદ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ તાલુકાના પાનેલી ગામમાં ખનીજચોરી થતી રોકવા માટે ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જે રજુઆતમાં જણાવ્યું છે કે પાનેલી ગામના સર્વે નંબર ૧૪૦ પૈકીની જે જમીન ગામ તળ હેઠળની હોય સર્વે નંબરમાંથી રાત્રીન સમયે અજાણ્યા ઈસમો દ્વારા જેસીબીથી ગેરકાયદેસર રેતી ખનન કરીને રેતી ચોરી કરવામાં આવે છે જેથી પાનેલીના સરપંચ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે અને પાનેલી ગામમાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી છે તેમજ ગામના રહેવાસીઓને ગામતળનો પ્લોટ મળી રહે તેવી માંગ કરી છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...