વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે વાંકાનેરના કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જાહેરમા જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે રેઇડ કરતા હકીકત વાળી જગ્યા પર થી અમુક ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧)રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી
(૨) મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર
(૩) મેહુલભાઈ વિનયચંદ મારૂ
(૪) અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા
(૫) ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી ઉવ.
(૬)દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા
(૭) રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયા
(૮) સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા
મળી આવ્યા હોઈ ત્યારે પોલીસ દ્વારા ૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે એક આરોપી નાશી ગયેલ હોઈ તેને પકડવાનો બાકી છે.ઉપરાંત પકડાયેલ જુગારીઓ પાસેથી રોકડ રકમ ૧૦,૫૫૦/- કબ્જે કરવામાં આવ્યા હતા
હમણાં ગણેશ ઉત્સવ દરમ્યાન કલેક્ટર દ્વારા વિસર્જન ને લઈને ચોક્કસ જાહેરનામું બહાર પાડેલું તેમ છતાં અમુક આયોજકો દ્વારા પોતાની મનમાની ચલાવી મરજી મુજબ મચ્છુ-૩ માંજ વિસર્જન કર્યું જેથી મોરબી પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ કરાય
આવનારા દિવસોમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે જેમાં જગદંબાની આરાધના ભક્તિનું...
મોરબીમાં વાંકાનેરના તાલુકામાં કાનપર રાતડીયા તથા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સમારકામ કરવામાં આવ્યું છે.
વરસાદ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ થી માંડીને ગ્રામ્ય વિસ્તારના નાના નાના રોડ પર જ્યાં નુકસાન થયું હોય તો સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને મોરબીમાં પણ માર્ગોનું સમારકામ કરવામાં...
મોરબી: આગામી તારીખ 29/09/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ નિર્ધારિત સમયે યોજાશે.
તેથી લોહાણા સમાજના સર્વે વિદ્યાર્થી મિત્રો તથા જ્ઞાતિબંધુઓએ આ કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા રઘુવંશી યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેમજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન પાસેના રોડનું નિર્માણ કાર્ય ચાલુ હોય...