વાંકાનેર: અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
વાંકાનેર: લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને અસમાજિક પ્રવૃતિમાં સંડોવાયેલ બે ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પાસા તળે ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલ હવાલે કરાયા.
આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લામાં અસમાજિક ત્તત્વો ઉપર અટકાયતી પગલા લેવા સુચના કરતા જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ફાયરીંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર અસમાજિક પ્રવૃતિમાં સડોવાયેલ ઇસમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી (૧) ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા (ર) જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.બંન્ને અરણીટીંબા તા.વાંકાનેર જી.મોરબી વાળાઓના જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પાસા દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમોને સત્વેર ડીટેઇન કરી,પાસા વોરંટની બજવણી કરી, અમદાવાદ તથા સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.