વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જે અંતર્ગત તારીખ 17/12/2023 ને રવિવારે સવારે 9:00 વાગ્યે થી બપોરે ના 1:00 વાગ્યા સુધી સતવારા જ્ઞાતિ ની વાડી,રામજી મંદિર પાછળ, માધાપરા, મોરબી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી ના સહકાર થી સમસ્ત મોચી સમાજ ના ભાઈઓ માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજિસ્ટ્રેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજે 70 થી વધુ ભાઈ બહેનો નું આ યોજનાનો લાભ અપાવવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ મોચી સમાજ મોરબી ના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ,તેમજ કાંતિભાઈ રાઠોડ તથા દિલીપભાઈ પરમાર, રાજુભાઈ પરમાર,બળવંતભાઈ વાઘેલા,નાથાભાઈ ઝાલા, તથા સર્વે જ્ઞાતિજનો નો સહકાર મળેલ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે...
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સામૈયા સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢે અન્ય જગ્યાએ ભાડે મકાન શોધવા છતાં નહિ મળતા જે બાબતનું લાગી આવતા માનસિક તણાવમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીમાં વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં ભાડે રહેતા મૃતક રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ ઉવ.૫૨ એ ગઈકાલ...