છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ માળીયા તાલુકાના સુલતાનપુર ગામ ખાતે થી માળીયા તાલુકામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” ને પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ”ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં.
આ તકે માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા,મહામંત્રી મનીષભાઈ કાંજીયા, અરજણભાઈ હુંબલ, કિશાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, યુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કર, યુવા મોરચા પ્રમુખ હિતેષભાઇ દસાડિયા, સુલતાનપુર ગામ સરપંચ ભાવેશભાઈ વિડજા, માજીસરપંચ રતિલાલ વિડજા, પૂર્વકારોબારી ચેરમેન રતિલાલ ભાડજા, ન્યાય સમિતિના ચેરમેન મનુભાઈ, તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ઝઘડો કરી યુવક એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો જ્યા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામા પલટાયો હતો. તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર 38) રહે ધરમપુર (મૃતક) તથા જગદીશભાઈ...
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હળવદ તાલુકાના ચરાડવા ખાતે લોકોને નોન વોવેન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે અને તે આપણી રોજીંદી ટેવોમાં વળાઈને આપણો સ્વભાવ બને તે માટે આ વર્ષે સ્વચ્છતા...
સ્વચ્છતા હી સેવા અભિયાન જનવ્યાપી બની રહ્યું છે ત્યારે મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાના હેતુથી માનવ સાંકળ રચવામાં આવી હતી.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતાથી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં વધુને વધુ પ્રમાણમાં જન ભાગીદારી નોંધાય વિવિધ સંસ્થાઓ અપેક્ષિત મંડળો તેમજ...