મોરબી: હાલનાં સમયમાં ભવ્ય સેલિબ્રેશન અને ભપકાદાર ઝાકઝમાળ સાથે દેખાદેખીમા ભવ્યાતિભવ્ય જન્મદિવસ ની ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દેરાળા ગામના ઉઘરેજા પરિવારે પોતાની પુત્રીનાં જન્મદિવસની ઉજવણી સાદાઈથી અને પ્રેરણાદાયી રીતે કરી હતી.
સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપનારા દેરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા”ભુમીબેન ભાર્ગવભાઈ ઉઘરેજા” ની લાડકવાયી પુત્રી “પ્રિવા”ના ત્રીજા જન્મદિવસ નિમિત્તે રાસંગપર ગામે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો ને ભોજન કરાવીને કરવામાં આવી હતી.
સંગાથ વૃદ્ધાશ્રમ ના વડીલો અને સંચાલકો દ્વારા ઉઘરેજા પરિવારની પુત્રી”પ્રિવા”ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ની સરહાના કરવામાં હતી અને આશીર્વાદ સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
દિવાળી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અનોખું સફાઈ અભિયાન
મોરબી : દિવાળી નિમિતે વર્ષોથી આપણે ત્યાં દિવાળી કાઢવાની એટલે ઘર, ઓફિસ સહિતના દરેક સ્થળોએ સફાઈ કરવાની પરંપરા છે અને આખા વર્ષનો કચરો એક દિવસમાં કાઢીને સફાઈ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં સર્વધર્મ સમભાવની સાથે દરેક પર્વની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા...
કેન્દ્ર સરકારની મનરેગા યોજના છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે લોકોને જે કોઈ ફરિયાદ હોઈ તો તેના માટે રાજય સરકારના નિર્દેશાનુસાર મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૪ થી પદભાર સંભાળી લીધો છે. જેનું કાર્યક્ષેત્ર મનરેગા કામ બાબત તેમજ મુખ્યત્વે શ્રમિકોની ફરિયાદો સાંભળવી,...