Thursday, April 3, 2025

આવતીકાલે મોરબી મચ્છુ -૦૨ ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૦૨ ડેમના રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે તા. ૦૨/૦૪/ ૨૦૨૫ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યે ૦ર દરવાજા ૦ર ફુટ ખોલી ૧૩૦૦ ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવશે. જે તબક્કાવાર વધારીને ૩૫૦૦ ક્યુસેક સુધી કરવામાં આવશે. આથી ડેમના નીચવાસમાં આવતા ગામે જેમ કે

મોરબી તાલુકાના (૧) જોધપર, (૨) લીલાપર, (૩) ભડીયાદ, (૪) ટીંબડી, (૫) ધરમપુર, (૬) રવાપર, (૭) અમરેલી, (૮) વનાળિયા, (૯) ગોર ખીજડીયા, (૧૦) માનસર, (૧૧) નવા સાદુળકા, (૧૨) જુના સાદુળકા, (૧૩) રવાપર, (૧૪) ગુંગણ, (૧૫) નારણકા, (૧૬) બહાદુરગઢ, (૧૭) નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા, (૨૦) અમરનગર તેમજ માળીયા તાલુકાના (૧) વીરવદરકા, (૨) દેરાળા, (૩) નવાગામ, (૪) મેધપર, (૫) હરીપર, (૬) મહેન્દ્રગઢ, (૭) ફતેપર, (૮) સોનગઢ, (૯) માળિયા (મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર