ટંકારામાં PGVCLના કર્મચારીને બે શખ્સોએ માર માર્યો
ટંકારા: રાજ્યમાં પીજીવીસીએલના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી અવરનવર તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે ત્યારે ટંકારાની સરકારી હોસ્પિટલ પાછળ આવેલ સીટી ફિડર પાસે પીજીવીસીએલના કર્મચારી પોતાની ફરજ પર હતા તે દરમ્યાન આરોપીએ તથા એક અજાણ્યો શખ્સ આવી કર્મચારીને કહેલ લાઇટ કેમ જતી રહે છે અને કાયમી હેરાનગતિ હોય છે તેમ કહેતાં કર્મચારીએ આરોપીઓને ફ્યુઝ બદલી નાખેલ હોવાનું કહેતા બે શખ્સોએ કર્મચારીને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનના યુવકે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાના બેડી ગામે રહેતા પીજીવીસીએલમા આસી-હેલ્પર તરીકે ફરજ બજાવતા મિથુનભાઈ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૯) એ આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી રહે. ટંકારા તથા એક અજાણ્યા માણસ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૬-૨૦૨૪ ના રોજ બપોરના સમયે ફરીયાદી PGVCL (આસી-હેલ્પર) પોતાની રાજ્ય સેવક તરીકે પોતાની ફરજ પર હતા દરમ્યાન આ કામના આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી તથા એક અજાણ્યો માણસ મોટરસાયકલ લઈ આવી ફરીયાદીને કહેવા લાગેલ કે કેમ લાઈટ જતી રહે છે અને કાયમી હેરાનગતી હોય છે તેમ કહેતા ફરીયાદીએ આરોપીઓને કહેલ કે ફ્યુઝ બદલાવી નાખેલ છે તેમ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા બંન્ને આરોપીઓએ ફરીયાદીને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો શરીરે મુંઢ માર મારી તથા આરોપી અજાણ્યા માણસે ત્યા પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ ફરીયાદીના વાસાના ભાગે મારી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરી બંન્ને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદિની રાજ્યસેવક તરીકેની ફરજમા અડચણ કરી હતી જેથી ભોગ બનનાર મિથુનભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૩૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ -૩(૧)((આર),(એસ),૩(૨)(૫-એ) તથા જીપી એક્ટ કલમ -૩૭(૧),૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
