Sunday, September 22, 2024

સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. દ્વારા વન્યજીવન સરક્ષણ માટે જાગૃતિ ફેલવવા ચકલી ઘરનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. દ્વારા ” NESTING FOR NEIGHBOURS ” શીર્ષક હેઠળ એક વિશેષ એકટીવીટી કરી હતી. આ એકટીવીટી નો મુખ્ય હેતુ વન્યજીવન સંરક્ષણના પ્રયાસોને સમર્થન આપવાનો અને સમુદાયમાં આ અંગે જાગૃતિ વધારવાનો હતો તેમજ પક્ષીઓ માટે ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

પક્ષીઓની સલામતી અને પ્રજાતિઓ બચી રહે મતે એસ.આર.પી કેમ્પ, ઇશ્વરીયા પાર્ક જેવા સ્થળોએ પક્ષીઓ માટે ચકલી ઘર સ્થાપિત કરાયું તો ઈન્દિરા સર્કલ પાસે લોકોમાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેથી રાજકોટ શહેર ના લોકોમાં વન્યજીવનના સંરક્ષણ અને તેના મહત્વ અંગે જાગૃતિ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ચકલી ઘર લેવા માટે ઉમટી પડ્યા હતા. આ એકટીવીટી સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. ની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેના દ્વારા પર્યાવરણીય સંરક્ષણ અને સમુદાયના કલ્યાણ માટે સતત પ્રયાસો કરવામાં આવશે.

સ્ફૂમાટો ઇન્ડિયા પ્રા.લી. માં ” NESTING FOR NEIGHBOURS ” વિઝન દ્વારા વન્યજીવન સંરક્ષણમાં યોગદાન આપવા બદલ આયોજકોએ ગૌરવની લાગણી અનુભવી હતી અને આશા રાખી હતી કે એકટીવીટી દ્વારા, વન્યજીવનના સંરક્ષણ અને પર્યાવરણના જતન માટે લોકોમાં સકારાત્મક પરિવર્તન આવતું રહે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર