અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O ફિલ્ટર પ્લાન્ટ આપવામાં આવશે
મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામને R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની કરી જાહેરાત.
મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાના દુખઃદ અવસાન થયું હતું. ત્યારે આજે મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા જેતપર ગામે સ્વ. દિનેશભાઈ અમૃતિયાની સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણી વ્યવસ્થાના ભાગ રૂપે અજયભાઈ લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરી અજયભાઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી. જેમાં સરપંચ મનુભાઈ અમૃતિયા, અલ્પેશભાઈ અઘારા, હીરાભાઈ અમૃતિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.