Friday, September 20, 2024

માળીયા (મી)નાં રોહીશાળા ગામે ખેડૂતની હત્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગત્ મોડી રાતે હત્યા થી હોવાનું અનુમાન

મોરબીનાં માળીયા તાલુકાના રોહીશાળા ગામે ગત રાત્રીના ખેડૂતની હત્યાનો બનાવ બન્યો હતો ખેતર પર રહેલા ખેડૂતની કોઈએ હત્યા કરી હતી જે બનાવની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ છે અને હત્યાના બનાવની વધુ તપાસ હાથ ધરી છે

રોહીશાળા ગામે ખેડૂત પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (ઉ.વ.૪૦) ની હત્યા થઇ હતી ગત રાત્રીના ખેડૂતની હત્યા કરવામાં આવી હોય જે બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે અને હત્યાના બનાવની વધુ તપાસ ચલાવી છે ખેતરમાં હત્યા થતા અહી કામ કરતા શ્રમિકો પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને હત્યારાઓને ઝડપી લેવા તેમજ હત્યા ક્યાં કારણોસર કરાઈ તેનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર