મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી માઈનોર કેનલામા પિયતનુ પાણી ન પોહચતુ હોવાની રાવ થતી હોય છે ત્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતે રાવ કરી છે કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલમાં પિયતના પાણી સારૂં છેવાડાના ખેડૂતો તરસી રહ્યા છે ત્યારે માઈનોર કેનાલને તોડી પાણી વોકળામાં વહાવી દેવામાં આવે છે જેથી જે પાણી કેનાલમાં છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું નથી અને હજારો એકર જમીન પીયતથી વંચિત રહે છે. જેથી ખેડૂતો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કેનાલનું રીપેરીંગ કામ કરી છેવાડાના ખેડૂતો સુધી પાણી પોહચે તેવી કામગીરી કરવામાં આવે.
હળવદના રણજીતગઢ માઇનોર ડી-૧૯ કેનાલમાંથી રણજીતગઢ, રાયસંગપુર, ચાડધ્રાના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાંથી હજારો એકરને પિયતનો લાભ મળે છે. ત્યારે રાયસંગપર પાસે રણજીતગઢ ડી-૧૯ માઇનોર કેનાલમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલ તોડીને પાણી વોકળામાં વહાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને છેવાડાના ખેડૂતો પિયતના પાણીનો લાભ મળતો નથી. જેથી આ વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને આ પ્રકારની કોઈપણ રજૂઆત મળી નથી.
મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તા. ૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ૮૦૪, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર...
મોરબીના રહેવાસી અને હાલ રાજકોટ કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા પોસ્ટમેન મોરબીથી રાજકોટ જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા...
મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવાર ના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં રાત્રે ૦૯:૦૦ કલાકે શરુ થશે અને આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે જેથી આ...