Monday, September 23, 2024

રાયસંગપુર પાસે અજાણ્યા શખ્સોએ રણજીતગઢ માઈનોર ડી-19 કેનાલ તોડી પાણી વોકળામાં વહાવી દીધું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી માઈનોર કેનલામા પિયતનુ પાણી ન પોહચતુ હોવાની રાવ થતી હોય છે ત્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતે રાવ કરી છે કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલમાં પિયતના પાણી સારૂં છેવાડાના ખેડૂતો તરસી રહ્યા છે ત્યારે માઈનોર કેનાલને તોડી પાણી વોકળામાં વહાવી દેવામાં આવે છે જેથી જે પાણી કેનાલમાં છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું નથી અને હજારો એકર જમીન પીયતથી વંચિત રહે છે. જેથી ખેડૂતો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કેનાલનું રીપેરીંગ કામ કરી છેવાડાના ખેડૂતો સુધી પાણી પોહચે તેવી કામગીરી કરવામાં આવે.

હળવદના રણજીતગઢ માઇનોર ડી-૧૯ કેનાલમાંથી રણજીતગઢ, રાયસંગપુર, ચાડધ્રાના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાંથી હજારો એકરને પિયતનો લાભ મળે છે. ત્યારે રાયસંગપર પાસે રણજીતગઢ ડી-૧૯ માઇનોર કેનાલમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલ તોડીને પાણી વોકળામાં વહાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને છેવાડાના ખેડૂતો પિયતના પાણીનો લાભ મળતો નથી. જેથી આ વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને આ પ્રકારની કોઈપણ રજૂઆત મળી નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર