Thursday, September 19, 2024

મોરબીના આંગણે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી મોરબીના કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભાગવત સપ્તાહ નિમિતે તા. ૧૧ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરે ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે જે પોથીયાત્રા તા. ૧૧ ને રવિવારે બપોરે ૩ : ૩૦ કલાકે ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતેથી પ્રસ્થાન થશે અને શોભાયાત્રા શહેરના સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વિસીફાટક, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વસંત પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપા સીતારામ ચોક રવાપર રોડ, સ્વાગત હોલ રવાપર ચોકડી, અવની ચોકડી અને ઉમિયા સર્કલ તેમજ ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શનાળા ગામથી પટેલ સમાજ વાડી પહોંચશે

આ શોભાયાત્રા-પોથીયાત્રાનું વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો,વેપારીઓ અને મોરબીજનો દ્વારા સ્વાગત કરવામાં આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર