Tuesday, September 24, 2024

મોરબીની મુસ્લિમ દીકરીએ ‘વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં માનવીય મૂલ્ય’ પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં રહેતી મુસ્લિમ દીકરી સાહેરાબાનુ પઠાણે હિન્દુ ધર્મના પુસ્તક પર મહાશોધ નિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી.

મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં આર.ઓ.પટેલ મહિલા કોલેજ-મોરબીમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ.,એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો.સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય એમની ઈચ્છા પી.એચ.ડી.કરવાની હતી, સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય: એક અધ્યયન Human Values In Visnupuran And Bhagavatpuran: A Study  વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ,અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ સાહેરાબાનુ અનવરખાન પઠાણે મહા સંશોધન નિબંધ તૈયારી કરી એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા,સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે.આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર