બેસ્ટ પરફોર્મન્સ આપેલ 20 વિસ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ
મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તહેવાર,રાસે રમવાનો અને ગરબે ઘુમવાનો રૂડો અવસર,એમાંય ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો નવરાત્રીમાં ચોરે ચૌટે રાસ ગરબાઓનું આયોજન થતું હોય છે આબાલ-વૃદ્ધ સૌને ગરબે રમવું ગમતું હોય છે,નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચતા હોય છે,દરેક શાળાઓમાં પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે એ અન્વયે મોરબી તાલુકાની માધાપરવાડી શાળામાં 400 વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરવામાં આવી હતી અને ધો.3 થી 8 માં વેલ ડ્રેશ અને એક્શનમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર 15 પંદર બાળાઓને અને ઓલ રાઉન્ડર પરફોર્મન્સ આપેલ 5 પાંચ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજન શાળાના આચાર્ય
દિનેશભાઈ વડસોલા, કાળુભાઈ પરમાર એસ.એમ.સી.અધ્યક્ષ તેમજ જયેશભાઈ અગ્રાવત, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા જયાબેન ભાડજા,ગીતાબેન અંદીપરા, અલકાબેન કોરવાડિયા, નિમિષાબેન ચાવડા,નિકિતાબેન કૈલા, ચાંદનીબેન સાંણજા તેમજ નર્મદાબેન પરમાર પ્રવાસી શિક્ષક વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.
આવતી કાલ તા. ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જયમાં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે.
આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા...
શિક્ષકોની તાલીમ, એકમ કસોટી સ્વચ્છતા અભિયાન,vમતદાર યાદી સુધારણા, કલા ઉત્સવ જેવા કાર્યક્રમોને કારણે અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી PDS+ મોબાઈલ એપ્લિકેશનમાં e kycની કામગીરી શિક્ષકોને ન સોંપવા રજુઆત કરાઈ.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઈ- કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, વંદે ગુજરાત ચેનલ - ૧ પર...
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૨૧/૦૯/૨૦૨૪ અને ૨૮/૦૯/૨૦૨૪ એમ બે દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર...