મોરબી: મોરબીનો મનો દિવ્યાંગ જય ઓરીયાએ ઝીરો માઈનસ ડિગ્રીમાં અનેક પડકારોનો સામનો કરી પગપાળા કેદારનાથ યાત્રા પૂર્ણ કરી.
શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું હોય તો આપોઆપ આંતરિક ઊર્જાનો સંચાર થાય છે તેવું જ ઉદાહરણ પૂરું પાડતો મોરબીનો મનો દિવ્યાંગ જય ઓરીયા ઝીરો માઇનસ ડિગ્રીમાં પણ પડકારોનો સામનો કરી 5 દિવસ કેદારનાથ શિવના સાનિધ્યમાં રોકાયા અને પગપાળા યાત્રા કરી ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપરનુ ટ્રેકિંગ પણ કર્યું હતું.

