મોરબીના લક્ષ્મીનગરમા 15 જુને પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે
મોરબી: મોરબીના લક્ષ્મીનગર ખાતે આગામી તા.૧૫-૦૬-૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ પ્રસંગે સહુ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા આયોજક દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા તથા હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે મો. ૯૯૭૮૪૯૭૯૮૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.