મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ખાનપર ગામે જાહેર રસ્તા પર શૌચાલય, સિમેન્ટનો ઢાળીયો અને એક રૂમ જેટલું બાંધકામ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એમ છાસીયા, વિસ્તરણ અધિકારી સી એમ ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઈ નકુમની ટીમે આજે પોલીસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે આસામીઓ દ્વારા કરવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરી હતી પોપટભાઈ ભલાભાઈ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઈ બચુભાઈ જાકાસણીયા દ્વારા સિમેન્ટનો ઢાળીયો અને દિનેશભાઈ મગનભાઈ જાકાસણીયા દ્વારા પશુ દવાખાના વાળી શેરીમાં એક રૂમ જેટલું બાંધકામ કરી દબાણ કર્યા હોય જેથી અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ આખરી નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણો દુર કર્યા ના હોય જેથી ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાની સુચના અનુસાર દબાણો હટાવવામાં આવ્યા હતા.
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...