મોરબીના ઘુંટુ ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબીના ઘુંટે ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રોહિતભાઇ દયાળજીભાઈ પરમાર ઉ.વ.૨૩ વાળાએ ગત તા.૦૫-૦૬-૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં રોહિતભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.