મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવીવારના રોજ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં મોરબી આજુબાજુના ગામોમાં વસતા ચારોલા પરિવારના બધા પરિવાર જનોને આ સ્નેહમિલન કાર્યક્રમ પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા માટે સ્નેહમિલન જેવાં કાર્યક્રમો ખુબ જરૂરી છે સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદા માધ્યમ છે તેમજ પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. તો પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે. ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તારીખ 26 મેના દિવસે મોરબી તાલુકાના બેલા (રંગપર) ખાતે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચારોલા પરિવાર દ્વારા સાંજે 4 કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. અને ત્યારબાદ સાંજે 6-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 8-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ગીતાંજલી વિદ્યાલયમાં આજે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ફાયરના તમામ ઇક્વિપમેન્ટ અને ફાયરની ઘટના સમયે શું સાવધાની રાખવી અને કયા પગલાં ભરવા તે બાબતે માહિતી આપવામાં આવેલ હતી સાથે ખાસ કરીને આગ લાગે...
અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું
જિલ્લા તિજોરી અધિકાર એ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તિજોરી કચેરીની પેન્સન શાખા દ્વારા ૧૦૦ વર્ષ પુર્ણ કરનાર પેન્શનરના ઉમર આધારિત પેન્શનમાં સો ટકા નો વધારો કરી ચુકવણું કરવામાં આવ્યું હતું તથા હોસ્પિટલમાં અન્ય દાખલ પેન્શનરની હયાતીની ખરાઈ કરી તેમને પણ ચુકવણી કરવામાં...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે
પોલીસે આરોપી જીગ્નેશભાઈ રાજેશભાઇ ચૌહાણ ઉવ.૨૮ રહે.ભડીયાદ રોડ ભડિયાદ કાંટાની બાજુમાં વાળા પાસેથી વર્લી ફિચર્સના અલગ અલગ આંકડા લખેલ ચીઠ્ઠી તેમજ...