મોરબીના બગથળા ગામે ઠોરીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનુ મંદિર બનાવાશે
મોરબી: મોરબીના બગથળા ગામે સમસ્ત ઠોરીયા પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી બહુચરાજી માતાજીનુ મંદિર બનાવાનુ નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં તા.૨૧-૦૮-૨૦૨૪ ના રોજ સાંજના ૪:૩૦ કલાકે ભુમી પુજન કરવામાં આવશે અને ત્યારબાદ નકલંક મંદિરના મહંતશ્રી દામજી ભગતના હસ્તે મંદિરનુ ખાત મુહુર્ત કરવામાં આવશે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારો જેવા કે તરઘરી,ફગસિયા, ઝિક્યારી , માનસર, સોલાડી, , બરવાળા, લક્ષ્મીવાસ , રામનગર, માનસર, કુંતલપુર, કાંતિપુર, હમીરપર સહિતના ગામોમાં વસતા ઠોરીયા પરિવારના તમામ સભ્યોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.