મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા શુક્રવારે પત્રકાર મિલન સમારોહ
મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.૨૪ને શુક્રવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શિશુમંદિર શકત શનાળા મોરબી – રાજકોટ મોરબી ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘેરા હાજર રહેશે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ભોરણિયા- ૯૪૨૬૬ ૩૨૩૮૯ તથા રાજેશ બદ્રકિયા – ૯૮૨૫૪ ૨૧૦૩૧ પર સંપર્ક કરવો.