મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો ઈસમ અમદાવાદથી ઝડપાયો
મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન એ પાર્ટ. આઇ.પી.સી. કલમ- ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નવરત્ન ઉર્ફે નોરતો હનુમાનજી ચોકીદાર રહે,ગામ ઇટાવડા તા.ડેગાણા જી.નાગોર રાજસ્થાન વાળો હાલે અમદાવાદ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ પેરોલ ફર્લો સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નોરતરામ ઉર્ફે નોરતો હનુમાનરામ ચોકીદાર ઉ.વ.૩૩ રહે. ગામ ઇટાવડા તા.ડેગાણા જી.નાગોર રાજસ્થાન વાળો અમદાવાદ ઓગણજ સર્કલ ખાતેથી મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨) જે મુજબ ચોરીના ગુનામાં અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.