Monday, October 28, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 183 નંગ બીયર ટીન સાથે બે ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વીશીપરામા બીલાલી મસ્જીદ પાછળ રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ ૧૬૮ તથા ભડીયાદ રોડ પર માળિયા વનાળીયા શંકરના મંદિરની પાસે રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી ૧૫ બીયર ટીન મળી કુલ ૧૮૩ બીયર ટીન સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પ્રથમ દરોડામાં મોરબીના વીશીપરામા બીલાલી મસ્જીદ પાછળ રહેતા આરોપી સુનીલભાઈ સવજીભાઈ સોલંકી એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બિયર ટીન નંગ -૧૬૮ કિં રૂ.૨૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં માળિયા વનાળીયા સોસાયટી શંકરના મંદિરની પાસે રહેતા આરોપી પ્રવિણભાઇ સવજીભાઈ પરમારે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી બીયર ટીન નંગ -૧૫ કિં રૂ. ૪૯૫૫ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર