સરકાર દ્રારા કાર્યરત સિનિયર સીટીજનો માટેની સેવા અને હેલ્પલાઈન નંબર વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
મોરબી : હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન દ્રારા મોરબી શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વડીલોને સરકારની સેવાઓ અને હેલ્પલાઈન વિશે જાણકારી તેમજ ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું
ગત રોજ તા: 1/10 ના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. ત્યારે હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશન દ્રારા મોરબીના શોભેશ્વર રોડ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિતે વડીલોને સરકારની કાર્યરત વિવિધ સેવાઓ અને કાર્યરત હેલ્પલાઈન નંબર 14567 વિશેની સપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.સાથે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં બી.પી.,ડાયાબિટીસ, જોઇન્ટ પૈન, કમર નો દુખાવો, સરદી, ઉધરસ, તાવ, કબજિયાત, એસિડિટી, પેટ નો દુખાવો જેવી વડીલો માં જોવા મળતી બધી જનરલ સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડો.સ્વેતા વિડજા,દિવાળીબેન સોલંકી એ સેવા આપી હતી. આ કાર્યકમને સફળ બનાવવા વૃદ્ધાશ્રમના સંચાલક ,હેલ્પએજ ઇન્ડિયા અને એચ.એલ.સોમાણી ફાઉન્ડેશના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
આવતી કાલ તા. ૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારથી મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જયમાં આશાપુરા સેવા કેમ્પનો પ્રારંભ થશે.
આ કેમ્પમાં મેડીકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ, રાત્રી રોકાણની સુવિધા, પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા...
શિક્ષકોની તાલીમ, એકમ કસોટી સ્વચ્છતા અભિયાન,vમતદાર યાદી સુધારણા, કલા ઉત્સવ જેવા કાર્યક્રમોને કારણે અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી PDS+ મોબાઈલ એપ્લિકેશનમાં e kycની કામગીરી શિક્ષકોને ન સોંપવા રજુઆત કરાઈ.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઈ- કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, વંદે ગુજરાત ચેનલ - ૧ પર...
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૨૧/૦૯/૨૦૨૪ અને ૨૮/૦૯/૨૦૨૪ એમ બે દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર...