મોરબી: મોરબીમાં સતનામ નગર સોસાયટી અને ધર્મભૂમિ સોસાયટીને જોડતો 7.50 મીટર પહોળો રસ્તો બંધ કરેલ હોવાથી વાહન આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી સતનામ સોસાયટીના રહીશો દ્વારા આ રસ્તો શરૂ કરવા મોરબી નગરપાલિકાને લેખીત રજુઆત કરી હતી છે.
મળતી માહિતી અનુસાર સતનામ સોસાયટીના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીતમાં રજૂઆત કરી છે કે સતનામ નગર સોસાયટી પંચાસર રોડ અને ધર્મભૂમિ સોસાયટી વચ્ચે જોડતો 7.50 મી. નો રસ્તો હાલ બંધ કરેલ છે તો સતનામ સોસાયટી, સેમ રેસીડેન્સ જેવી ઘણી બધી સોસાયટીની વાહન વ્યવહાર માટે મુશ્કેલી પડે છે અને ધર્મ ભૂમિ સોસાયટીના લોકો દ્વારા રસ્તો બંધ કરેલ છે આવા નવર રસ્તો ખુલ્લો કરવાની કોશિશ કરતા ધર્મભૂમિ સોસાયટીના રહીશો ઝઘડો કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે મોરબી પંચાસર રોડ મુનનગર આગળ આવેલા સતનામ નગર સોસાયટી અને બાજુમાં આવેલ ધર્મભૂમિ સોસાયટી વચ્ચે એક શેરીનાં રસ્તા બાબતે ઘણા સમયથી વિવાદ ચાલતો આવી રહ્યો છે ત્યારે ધર્મભૂમિ સોસાયટીની એક શેરીમાં આડશો ઉભી કરી વાહનોની આવજા કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ બંધ રસ્તાને કારણે અવારનવાર બન્ને સોસાયટીનાં રહીશો વચ્ચે બોલાચાલી અને ચણભણ થતી રહે છે છતાં પણ ધર્મભૂમિ સોસાયટી દ્વારા રસ્તો બળજબરીથી આડસો ઊભી કરી બંધ કરી દેવામાં આવતા અંતે સતનામ સોસાયટીનાં લોકો દ્વારા કાયદાકીય રીતે પોતાની શેરીનો રસ્તો ખુલ્લો કરવા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. હવે ચીફ ઓફિસર ક્યારે આ રસ્તો ખુલ્લો કરાવશે એ જોવુ રહ્યુ.
મોરબી: જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડી કરેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે બે ઈસમોને મોરબી નવલખી ફાટક પાસેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલસ સ્ટાફને...
મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 24/09/24 થી 4 દિવસ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
શીવ સેવક ગ્રુપ 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને...
ગેસના બાટલાનું છૂટક તથા હોલસેલમાં અતિરિક્ત જોખમી વેચાણ ચાલુ હોય ત્યારે સત્વરે પગલાં લેવા લેખિત રજુઆત
મોરબીમાં થોડા દિવસો પહેલા નહેરુ ગેટ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર તેમજ મંજૂરી કરતા વધારે ગેસ સિલિન્ડર રાખી તેનું વેચાણ કરનારા વેપારીઓની દુકાનોમાં મોરબી ફાયર વિભાગ તથા જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી...