મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિની પ્રેરણાદાયી પહેલ, પાઠ્યપુસ્તકો પસ્તી બને તે પૂર્વે જરૂરિયાતમંદોને પહોંચાડવાનું અભિયાન
મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિની પ્રેરણાદાયી પહેલ પાઠ્યપુસ્તકો પસ્તી બને એ પહેલા જ જરૂરીયાત મંદ બાળકોને ઉપયોગી બને તેવુ ઉમદા આહવાન શૈક્ષણિક ક્ષેત્રમાં બાળકો ભણીગણીને આગળ વધે તેવા હેતુથી પુસ્તકો પસ્તી ન બને અને બાળકોનું ભવિષ્ય બને તેવો સમાજને રાહ ચિંધ્તો સંદેશ
વિદ્યાનું દાન કરો શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ મોરબી જિલ્લા મોરબી દ્વારા એક નાનકડો પ્રયાસ ન વાદ ન વિવાદ સાથે તાજેતરમાં જ SSC HSC બોર્ડની પરીક્ષા ઓ પુરી થયેલી છે નજીક ના સમય માં પ્રાથમિક અને માધ્યમિક શાળા ઓમા પરિક્ષા ઓ લેવામાં આવશે થોડાક માસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.
આપનાં બાળકો એ જે અભ્યાસ ક્રમ પુર્ણ કરેલ છે તેના પાઠ્યપુસ્તકો, પુસ્તકો ને પસ્તીમાં વહેંચવા મા કિલો ના ભાવે નજીવી કિંમત આવશે
સમાજ ના બાળકો ના પરિવારો નવા સત્ર ના પુસ્તકો ખરીદવા જસે તો તેની મોટી કિંમતો થી ખરિદવા પડે છે ઘણા પરિવારો ની આર્થિક સ્થિતિ ને કારણે બજેટ ખોરવાય જતુ હોય છે
દરેક ધોરણો ના પુસ્તકો ના સેટ પસ્તીમાં ન આપી વિદ્યા દાન કરી સમાજ ના બાળકો નું એજ્યુકેશન ઉજ્જવળ બનાવી એ
આપ ક્યા ધોરણ ના પાઠ્યપુસ્તકો નું વિદ્યાદાન કરવા ઈચ્છો છો તે વિગત નામ મોબાઈલ નંબર સાથે નીચે જણાવેલ નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી છે જેથી અમો પુસ્તકો મેળવવા વ્યવસ્થા ગોઠવી શકીએ જે પાઠ્યપુસ્તકો પોતાના બાળકોના અભ્યાસ માટે લેવા ઈચ્છતા હોય તેઓ એ વિના સંકોચે ક્યા ધોરણ ના પાઠ્યપુસ્તક જરૂરિયાત છે, નામ મોબાઈલ નંબર સાથે નિચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. ક્યા ધોરણ ના પુસ્તકો ની જરૂર છે તે અવશ્ય જણાવવા વિનંતી છે.
જે જે ધોરણો ના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયેલા હશે એ પાઠ્યપુસ્તકો આપવામાં આવશે જેની દરેક પરિવારો એ નોંધ લેવા વિનંતી છે
સંપર્ક કરવા અને વઘુ માહિતી માટે
મોબાઈલ નંબરો
૧ મનિષભાઈ દેવમુરારી 9778615594, ૨. ભક્તિરામ ભાઈ નિમાવત 9979999098, ૩. ભરત ભાઈ કુબાવત મહંત શ્રી નારીચાણીયા હનુમાનજી મંદિર 92652 02959, ૪. મુકેશભાઈ (બાબાભાઈ)નિમાવત 87806 35339, ૫. દિપકભાઈ કુબાવત રામાનંદ ટ્રાવેલ્સ 94272 36797 ૬. ચંદ્રકાંત રામાનુજ 7016097002, 7. ભરતભાઈ નિમાવત 9913944683.