Monday, September 23, 2024

સમસ્ત રઘુવંશી સમાજ મોરબી દ્વારા પૂ. જલારામ બાપાની 224મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિવિધ ફ્લોટ્સ, મહા આરતી, મહા આતશબાજી, કેક કટીંગ, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીત ના આકર્ષણો સાથે શોભાયાત્રાનું અનેરુ આયોજન.

મોરબી: પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે સમસ્ત રઘુવંશી સમાજ-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૯-૧૧-૨૦૨૩ રવિવાર, કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, શોભાયાત્રા જુના બસસ્ટેશન- નગર દરવાજા-પરા બજાર-શાક માર્કેટ ચોક-ગાંધી ચોક-વસંત પ્લોટ-રવાપર રોડ- બાપા સિતારામ ચોક- નવુ બસ સ્ટેશન- શનાળા રોડ- રામ ચોક- સાવસર પ્લોટ મેઈન રોડ- દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેરના રાજમાર્ગો પર ફરી વળશે.

વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂ.બાપાનું પૂજન કરવામાં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સંજયભાઈ જમનાદાસભાઈ ભોજાણી પરિવાર તથા ધવલભાઈ સવજીભાઈ રાજા પરિવાર દ્વારા મહાઆરતી તેમજ રામચોક ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ પરિવાર દ્વારા કેકકટીંગ યોજવામાં આવશે. શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ રામચોક ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપાનો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈમાઁ નો વેશ ધારણ કરવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શહેરના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રામાં જોડાવવા શોભાયાત્રા કારોબારી સમિતી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર