મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક હવે 25 એપ્રિલના રોજ યોજાશે
અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક ૧૧/૦૪/૨૦૨૫ ના બદલે ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.