મોરબી મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે; નીચાણવાળા ગામોને સુચના અપાઈ
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ -૦૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી આવતીકાલ તારીખ ૦૨ એપ્રિલને બુધવારે બપોરના ૧૨:૦૦ વાગ્યે એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે જેથી સિંચાઇ યોજનાના નીયાણવાસ માં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.
જેમાં મોરબી તાલુકાના ગામો (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) રવાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ (૧૩) સોખડા તેમજ માળિયા (મી) તાલુકાના ગામો જેવા કે (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસગપર (૫) વિરવદરકા (૬) માળિયા(મી) (૭) હરીપર (૮) ફતેપર ને અલર્ટ કરાયા છે.