મોરબી: એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેરના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકાના સિરામિકસિટી, ભડિયાદ, જવાહરનગર, જાંબુડિયા, લાલપર, મકનસર, પ્રેમજી નગર, પાનેલી, લઘધિરપુર, ઉચી માંડલ, નીચી માંડલ, ઘૂટુ, પીપળી, બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કિટોનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં 55 વર્ષ થી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુ થી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતો ને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સક્ષમ નથી.
આ કાર્યને સફળ બનાવવા એચ. એલ સોમાણી માંથી અશ્વિની કુમારમની, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સરપંચ, આશાવર્કર, ગામના આગેવાનો ના સહયોગથી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા (દાદા), અનસોયાબેન...