મોરબી: મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/07/ 2024 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો- 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહ માટે પોતાની માર્કશીટ જમા કરાવવા ઇચ્છતા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ એ આગામી તારીખ 15 જુલાઈ સુધીમાં નીચે આપેલ સ્થળ અથવા સંપર્ક નંબર પર જમા કરાવવાનું રાજપૂત જિલ્લા પ્રમુખ દશરથસિંહ ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેર એસટી ડેપોની દાહોદ-ગાંગરડી તરફ જતી એસટી બસને ગતરાત્રિના હળવદની બાપાસીતારામ મઢુલી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી આવતા અશોક લેલન્ડ છોટા હાથી મિનિટ ટ્રકના ચાલકે એસટી બસ સામે મોરે મોરો ભટકાડી અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે બંને વાહનોના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર એસટી...
માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપરથી બોલેરો ગાડીમા દયનીય હાલતમા ભરેલ ૦૭ (જીવ) પાડા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ યેક હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક સફેદ કલરની...