Friday, September 20, 2024

મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગરની તાજેતરમાં સીધી ભરતીથી મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગના કર્મચારીઓને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એન.ડી. કુગસીયા દ્વારા જિલ્લા પંચાયત-મોરબી ખાતે તા.૦૮/૧૧/૨૦૨૩ તથા તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ૨(બે) દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમના પ્રથમ દિવસે તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, ૧૯૯૩ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિષ્ઠ અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ અન્વયે પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ઉત્સાહભેર કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જે. પારઘી, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તથા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS) દ્વારા નવનિયુક્ત કર્મચારીઓ તેઓના ક્ષેત્રમાં આગળ વધે અને સમાજને ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર