મોરબી: દરબારગઢ ફીડરમા સમારકામને પગલે શનિવારે બપોર સુધી વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: આવતીકાલે તારીખ ૧૧-૦૫-૨૦૨૪ ને શનિવાર નાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે દરબારગઢ ફીડરના નીચે મુજબના વિસ્તાર માં દરબારગઢ ફીડરમાં સમારકામને પગલે સવારે ૦૬.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા જાણ કરવામાં આવેલ છે તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
દરબારગઢ ફિડર:- દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાશરશેરી, ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.