કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ તકે કલેક્ટરે જણાવ્યું હતું, લોકશાહીમાં તમામ મતદાર મહત્વની ભૂમિકા ભજવે છે. મતદારોને જાગૃત કરવામાં તમામ કર્મચારીઓને મહત્વની કામગીરી કરવા પણ જણાવ્યું હતું. વધુમાં વોટર અવેરનેસ ફોરમ, મતદાર જાગૃતિના કાર્યક્રમો તથા એપિક વગેરે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ કાથડ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ તથા સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...