મોરબી : સમગ્ર રાજ્યમાં આજે કળયુગની જાગતી જ્યોતમાં મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં બિરાજમાન આવાસની જાગતી જ્યોત સમા આવાસની મેલડી માતાજીના મંદિર ખાતેમાં મેલડીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, કેક કટિંગ, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવાસની મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના ભુવા પ્રદીપભાઈ ચાવડાની રાહદારી હેઠળ મેલડી મંડળ દ્વારા માતાજી ના જન્મોત્સવ નિમિત્તે સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી, બાદ કુમારીકાઓના હસ્તે કેક કટિંગ, માતાજીનો શણગાર, અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એતિહાસિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લીધો હતો.
આવાસની મેલડી મંડળ દ્વારા દર રવિવારે બટુક ભોજન સાથે મહાપ્રસાદ પણ યોજવામાં આવી રહ્યો છે.જેનો બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે સ્વેચ્છીક/રદ થઇને ખાલી પડેલ ૨૪ આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરીને મહાનગરપાલિકાના નોટીસ બોર્ડ પર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઇટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે.
મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ...
તપાસ કોઈ પણ અધિકારીઓ કરે પણ આરોપીઓ ને પકડવામાં સરેઆમ નિષ્ફળ
કલેક્ટર જાહેર માં કહે છે કે સુશીલ પરમાર વિરુદ્ધ સરકાર માં આકરા પગલાં ભરવા ભલામણ કરી તો શું સરકાર ને પણ ભ્રષ્ટાચાર નિવારણ માં રસ નથી?
ગુજરાતમાં અનેક કૌભાંડો થયા છે પણ તેમાં મોટાભાગે પીડિતોને ન્યાય મળતો નથી.આવી જ એક...
મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં -૧૧ મા આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૭ બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ...